Sponsored Feature | Kutch Bulletin Travel Guide

બાબા બર્ફાનીના ભક્તો માટે સોનેરી તક: ભુજથી અમરનાથ સ્પેશિયલ બસ યાત્રા; વૈષ્ણોદેવી, સુવર્ણ મંદિર અને પુષ્કરના કરાવો અદભુત દર્શન.

▶ ૨૮ જૂન ૨૦૨૬થી લક્ઝરી સ્લીપર બસ દ્વારા ઉપડશે સંઘ; વૈષ્ણોદેવી, સુવર્ણ મંદિર, પુષ્કર અને કરણી માતા સહિતના ૧૦ મોટા ધામોના થશે પાવન દર્શન

Bhuj To Amarnath Yatra Tour Package Route Fare Rajvi Shiv Sagar Travels Kutch Bulletin Sponsored

કચ્છ બુલેટિન - ભુજ : કચ્છની ધર્મપ્રેમી જનતા માટે અષાઢ મહિનાની શરૂઆતમાં જ હિમાલયની પર્વતમાળાઓ વચ્ચે બિરાજતા બાબા બર્ફાનીના પાવન દર્શન કરવાનો એક ઉત્તમ અને સોનેરી અવરો ઊભો થયો છે. ભુજના પ્રખ્યાત 'શિવ સાગર યાત્રા સંઘ' (રાજવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ) દ્વારા આગામી ૨૮ જૂન ૨૦૨૬થી ભુજથી સીધા પવિત્ર અમરનાથ ધામ સુધીની એક ભવ્ય ૧૫ દિવસીય આધ્યાત્મિક મહાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ૨X૨ લક્ઝરી સ્લીપર બસ દ્વારા યોજાનારી આ યાત્રામાં ભક્તોને અમરનાથ ઉપરાંત ઉત્તર ભારત અને રાજસ્થાનના અનેક મુખ્ય પ્રખ્યાત તીર્થસ્થાનોના દર્શન કરવાનો અદભુત લહાવો એક જ પેકેજમાં મળશે.

Sponsored Content

📅 યાત્રાનું સંપૂર્ણ સમયપત્રક અને પ્રવાસ ખર્ચ

મુસાફરોની સગવડતા અને સુખાકારી માટે પ્રવાસનું તમામ આયોજન આયોજકો દ્વારા ખૂબ જ આધુનિક અને સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યું છે:

  • રવાનગી તારીખ : ૨૮-૦૬-૨૦૨૬, રવિવાર
  • સમય અને સ્થળ : સાંજે ૦૭:૦૦ કલાકે, રામ મંદિર, લેકવ્યુ હોટેલ પાસે, ભુજ.
  • ટિકિટ દર (ઉપરની સ્લીપર સીટ) : ₹ ૧૬,૫૦૦/- (વ્યક્તિદીઠ)
  • ટિકિટ દર (નીચેની સ્લીપર સીટ) : ₹ ૧૭,૫૦૦/- (વ્યક્તિદીઠ)

💡 વિશેષ સગવડ: આ આકર્ષક ભાડાની અંદર જ પ્રવાસ દરમિયાન બે ટાઈમ શુદ્ધ અને સ્વાદિષ્ટ ભોજન, સમયસર ચા-નાસ્તો તેમજ રાત્રિ રોકાણ માટે ઉત્તમ ધર્મશાળા અથવા લક્ઝરી હોટેલમાં રહેવાની શાનદાર વ્યવસ્થા આયોજકો તરફથી પૂરી પાડવામાં આવશે.

🗺️ યાત્રાના મુખ્ય આકર્ષણો અને પવિત્ર ધામોનું વિશેષ મહાત્મ્ય

આ ૧૫ દિવસની આધ્યાત્મિક સફરમાં ભારતભરના અતિ પ્રાચીન અને અદ્ભુત પુણ્યશાળી સ્થળોને આવરી લેવાયા છે, જેનું મહત્વ નીચે મુજબ છે:

અંબાજી અને પુષ્કર (બ્રહ્મા મંદિર): આદ્યશક્તિ પીઠ અંબાજીના દર્શન કરી સંઘ રાજસ્થાનના પવિત્ર પુષ્કર તીર્થ પહોંચશે. પુષ્કર એ સમગ્ર વિશ્વમાં ગણતરીના એવા સ્થળોમાંનું એક છે જ્યાં સૃષ્ટિના રચેતા ભગવાન બ્રહ્માજીનું મુખ્ય મંદિર આવેલું છે. અહીંનું પવિત્ર પુષ્કર તળાવ (બાવન ઘાટવાળું તળાવ) પાપોનું નાશ કરનારૂં મનાય છે, જ્યાં શાહી સ્નાનનું અનંત ધાર્મિક પુણ્ય છે.
પુષ્કર (બ્રહ્મા મંદિર)
પુષ્કર (બ્રહ્મા મંદિર)

કરણી માતા (દેશનોક) અને રણુજા રામદેવરા: બિકાનેર નજીક આવેલું કરણી માતાનું મંદિર 'ઉંદરોના મંદિર' તરીકે જગવિખ્યાત છે, જ્યાં હજારો પવિત્ર કાળા અને સફેદ ઉંદરો (કાબા) મુક્તપણે ફરે છે અને તેમના દર્શન સૌભાગ્યશાળી મનાય છે. ત્યારબાદ ભક્તો અખંડ આસ્થાના પ્રતીક એવા લોકદેવતા બાબા રામદેવપીરના પ્રખ્યાત ધામ રણુજા (રામદેવરા) ખાતે શીશ નમાવશે.
કરણી માતા (દેશનોક)
કરણી માતા (દેશનોક)

સુવર્ણ મંદિર (અમૃતસર) અને વાઘા બોર્ડર: પંજાબના અમૃતસરમાં આવેલું શ્રી હરમંદિર સાહિબ (ગોલ્ડન ટેમ્પલ) પોતાની અદ્ભુત સુવર્ણ સ્થાપત્ય કલા અને પરમ શાંતિ માટે વિશ્વપ્રસિદ્ધ છે. અહીં પવિત્ર સરોવરમાં સ્નાન અને અવિરત ચાલતા લંગરનો પ્રસાદ લેવો એ દિવ્ય અનુભવ છે. આ સાથે જ ભારત-પાક સરહદ 'વાઘા બોર્ડર' પર દેશભક્તિનો રોમાંચ જગાવતી 'બીટિંગ રીટ્રીટ' સેરેમની પણ પ્રવાસીઓ લાઈવ નિહાળી શકશે.
સુવર્ણ મંદિર (અમૃતસર)
સુવર્ણ મંદિર (અમૃતસર) 

શ્રી રઘુનાથ મંદિર અને માતા વૈષ્ણોદેવી (કટરા): જમ્મુ પહોંચીને પ્રવાસીઓ સદીઓ જૂના ઐતિહાસિક શ્રી રઘુનાથ મંદિરના દર્શન કરશે જે ભગવાન રામને સમર્પિત છે. ત્યારબાદ યાત્રા કટરા પહોંચશે, જ્યાંથી ભક્તો ત્રિકુટા પર્વત પર બિરાજમાન માં વૈષ્ણોદેવીના ભવ્ય દરબારમાં જઈ પવિત્ર ગુફાના દર્શન અને આશીર્વાદ મેળવશે.
માતા વૈષ્ણોદેવી (કટરા)
માતા વૈષ્ણોદેવી (કટરા)

મુખ્ય મુકામ - પવિત્ર અમરનાથ ગુફા (બાલતાલ રૂટ): આ પ્રવાસનું સર્વોચ્ચ કેન્દ્રબિંદુ બાબા અમરનાથ છે. સંઘ બાલતાલ રૂટ થઈને બરફ આચ્છાદિત હિમાલયની નયનરમ્ય પહાડીઓ વચ્ચે સ્થિત પવિત્ર અમરનાથ ગુફા તરફ આગળ વધશે. અહીં કુદરતી રીતે બરફમાંથી સ્વયંભૂ બનતા શિવલિંગ (બાબા બર્ફાની) ના દર્શન માત્રથી જ ભવ-ભવના પાપ ધોવાઈ જાય છે તેવી દ્રઢ સનાતન માન્યતા છે.
અમરનાથ ગુફા
અમરનાથ ગુફા

📋 યાત્રિકો માટે ધ્યાનમાં રાખવાના ખાસ નિયમો અને શરતો

પ્રવાસના પ્રોફેશનલ અને સુચારુ સંચાલન માટે આયોજકો દ્વારા જાહેર કરાયેલા નિયમો નીચે મુજબ છે:

  • બુકિંગ પ્રક્રિયા: એડવાન્સ બુકિંગ વખતે કુલ રકમના ૫૦% આપવાના રહેશે. બાકીની રકમ બસ યાત્રા શરૂ થવાના ૧૫ દિવસ પહેલા ચૂકવવાની રહેશે. જે મુસાફર પૂરી રકમ એકસાથે પહેલા ચૂકવશે, તેમને મનપસંદ સીટ ફાળવવામાં અગ્રતા આપવામાં આવશે.
  • જરૂરી દસ્તાવેજો અને મેડિકલ: દરેક યાત્રિકે પોતાનું ઓરિજિનલ ઓળખપત્ર [Identity Card Omitted] અને પાસપોર્ટ સાઇઝના ફોટા ફરજિયાત સાથે રાખવાના રહેશે. અમરનાથની ઊંચાઈ અને વાતાવરણને ધ્યાનમાં રાખીને, દરેક યાત્રિકે પોતાનું અધિકૃત મેડિકલ ફિટનેસ ચેકઅપ કરાવવું ફરજિયાત છે.
  • લોકલ ખર્ચ સ્પષ્ટતા: અમરનાથ અને બાલતાલ ખાતે યાત્રાનો લોકલ પર્સનલ ખર્ચ (જેમ કે ઘોડા, પાલખી કે હેલિકોપ્ટર ટિકિટ) યાત્રિકે સ્વખર્ચે કરવાનો રહેશે. કુલી, મજૂરી, ધોબી, પર્સનલ લગેજ અને લોકલ સાઇટ સીન જોવા માટેની એન્ટ્રી ફી પણ મુસાફરે પોતે ભોગવવાની રહેશે. પ્રવાસ દરમિયાન સોના-ચાંદીના મોંઘા દાગીના ન પહેરવા વિનંતી છે. કોઈ અનિવાર્ય સંજોગો કે કુદરતી આફતના કારણે આયોજનમાં ફેરબદલ કરવાનો સંપૂર્ણ હક વ્યવસ્થાપકનો રહેશે.

📞 બુકિંગ અને સીટ કન્ફર્મેશન માટેનું સત્તાવાર સરનામું

સીટો મર્યાદિત હોવાથી રસ ધરાવતા મુસાફરો આજે જ નીચે આપેલા સરનામે અથવા ફોન નંબર પર સંપર્ક કરી પોતાની મનપસંદ સીટ બુક કરાવી શકે છે:

🏢 ઓફિસનું સરનામું: રાજવી ટુર્સ & ટ્રાવેલ્સ, જીલ્લા પંચાયત સામે, સેવનટીન કોમ્પ્લેક્ષ, સોમનાથ ટ્રાવેલ્સની બાજુમાં, ભુજ (કચ્છ).

📞 સંપર્ક સૂત્ર (હમણાં જ ફોન કરો):
• સાગર પુરબીયા: મો. 83202 71910
• રાજુભાઈ: મો. 95866 97101
• આયોજક (દેવશીભાઈ કેરાઈ): મો. 99044 30369

કચ્છના સાંસ્કૃતિક-ધાર્મિક ઉત્સવો, બેસ્ટ પ્રવાસ આયોજનો અને અગત્યની સ્થાનિક જાહેરાતો માટે જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp