બૂમરાહને આરામ આપવાનો ઇનકાર
ભારત પહેલાથી જ સુપર-૮માં સ્થાન નિશ્ચિત કરી ચૂક્યું હોવાથી એવી અટકળો હતી કે મુખ્ય બોલર જસપ્રીત બૂમરાહને આરામ આપવામાં આવશે. જોકે, બેટિંગ કોચ કોટકે સ્પષ્ટ કર્યું છે કે ટીમ કોઈ પણ પ્રકારની ઢીલાસ રાખવા માંગતી નથી. બૂમરાહના વર્કલોડ પર BCCI ની મેડિકલ ટીમ સતત નજર રાખી રહી છે, પરંતુ હાલ તેને આરામ આપવાની કોઈ શક્યતા દેખાતી નથી.
અભિષેક શર્મા અને ઈશાન કિશન પર નિવેદન
યુવા બેટ્સમેન અભિષેક શર્મા હાલમાં જ બીમારી બાદ પરત ફર્યો છે. પાકિસ્તાન સામે તે જલ્દી આઉટ થયો હતો, પરંતુ કોટકે જણાવ્યું કે ટીમ તેના પ્રદર્શનનું ઓવર-એનાલિસિસ કરવા માંગતી નથી. બીજી તરફ, ઈશાન કિશનના આત્મવિશ્વાસના પણ કોચે ભરપૂર વખાણ કર્યા હતા અને તેને T20 ફોર્મેટનો મહત્વનો ખેલાડી ગણાવ્યો હતો.
ઉલટફેરથી સાવધાન ટીમ ઇન્ડિયા
ચાલુ વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને હરાવીને મોટો ઉલટફેર કર્યો છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ નેધરલેન્ડ સામેની મેચને આસાન ગણવાની ભૂલ કરવા માંગતી નથી. કોટકે સાફ કહ્યું કે, "આ વર્લ્ડ કપમાં કોઈ પણ ટીમ કોઈને પણ હરાવી શકે છે, એટલે દરેક મેચ મહત્વપૂર્ણ છે."
વધુ વાંચો:
T20 વર્લ્ડ કપની દરેક અપડેટ સૌથી પહેલા મેળવવા જોડાઓ:
👉 Join Kutch Bulletin on WhatsApp


0 ટિપ્પણીઓ