Kutch Bulletin: ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે 'ઓપરેશન ગંગાજળ' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ તેની કોઈ ખાસ અસર જોવા મળી રહી નથી. વિધાનસભાના બજેટ સત્રમાં રજૂ કરાયેલા આંકડા મુજબ, રાજ્યમાં ભ્રષ્ટાચારનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે અને સરકારી કચેરીઓમાં લાંચ લેવાનું પ્રમાણ યથાવત છે.
કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્નના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું કે, ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ની સ્થિતિએ કુલ ૧૮૭ સરકારી કર્મચારીઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. આ આંકડો દર્શાવે છે કે સરેરાશ દર બીજા દિવસે એક સરકારી અધિકારી કે કર્મચારી એસીબીના છટકામાં સપડાય છે.
ગૃહ વિભાગ ભ્રષ્ટાચારમાં મોખરે
આંકડાકીય વિગતો મુજબ, સૌથી વધુ ભ્રષ્ટાચાર ગૃહ વિભાગમાં જોવા મળ્યો છે, જ્યાં ૬૩ કર્મચારીઓ ઝડપાયા છે. તે સિવાય મહેસૂલ વિભાગમાં ૨૭ અને પંચાયત વિભાગમાં ૧૭ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારના પણ ૧૬ અધિકારીઓ સામે એસીબીએ કેસ નોંધ્યા છે.
| વિભાગનું નામ | ઝડપાયેલા કર્મચારીઓ |
|---|---|
| ગૃહ વિભાગ | 63 |
| મહેસૂલ વિભાગ | 27 |
| પંચાયત વિભાગ | 17 |
| શિક્ષણ વિભાગ | 10 |
| કેન્દ્ર સરકારના અધિકારીઓ | 16 |
જોકે, ચિંતાજનક બાબત એ છે કે પકડાયેલા ૧૮૭ કર્મચારીઓમાંથી ૧૦૧ નિર્દોષ છૂટ્યા છે અને માત્ર ૩૭ જ દોષિત ઠર્યા છે. આ આંકડાઓ ભ્રષ્ટાચાર સામેની કાયદાકીય લડત પર પણ સવાલો ઉભા કરે છે.
વધુ વાંચો:
ગુજરાતના તમામ સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવવા:
👉 Join Kutch Bulletin on WhatsApp

0 ટિપ્પણીઓ